અમરેલી- રાજુલા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે પ.પૂ મુક્તાનંદબાપુના પ્રાગટય દિવસે સ્વ.ઓધવજીભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા સર્વરોગ નિદાન કેમ્પ આયુર્વેદ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જ્યાં સંતો મહંતોના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને 168 બોટલ રક્તદાન થયું હતું અને પૂજ્ય બાપુની રક્તતુલા કરવામાં આવી હતી.

Planning of Sarvarog Diagnosis Camp at Amreli-Rajula

સાથે આ કાર્યક્રમ માં BAPS સંસ્થાના બાળકો દ્વારા સુંદર વ્યસનમુક્તિ માટે ચાર્ટ દ્વારા સમજૂતી આપી હતી રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારાપૂજ્ય બાપુનું સન્માન કર્યું હતું. આ તકે સતાધાર ના મહંત પૂ.વિજયબાપુ ચલાલા ના પૂ.મહાવીરબાપુ કાના તળાવથીપૂ.ઉષામૈયા રાજુલાના ભગવતાચાર્ય પૂ.યગ્નેશભાઈ ઓઝા હિતેશભાઈ ઝાંખરા તેમજ સાધુસંતો વિવિધ સંસ્થા ના આગેવાનો સર્વજ્ઞાતિના આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article