દાહોદ-દેવગઢબારિયામાં મરચું નાંખી રૂ 15 લાખની લૂંટ

Subham Bhatt
1 Min Read

દેવગઢ બારિયાના રાજમહેલ રોડ ઉપર આવેલા અલંકાર પેટ્રોલ પંપ ઉપર સવારના સમયે કેશિયરનીકેબીનમાં ધસી ગયેલા ત્રણ યુવકો તેની આંખમાં મરચુ નાખીને 15 લાખ રૂપિયા રોકડા લુંટીને ફરાર થઇગયા હોવાની ઘટના વાયુવેગે પ્રસરતા ખળભળાટ મચ્યો હતો. છોટાઉદેપુર ખાતે રહેતાં અબ્દુલભાઇમજીદભાઇ પઠાણના દેવગઢ બારિયાના રાજમહેલ રોડ ઉપર અલંકાર અને ભડભા ગામમાં અલંકારનામક પેટ્રોલ પંપ આવેલા છે. પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા આબીદભાઇ આરબ નામક કેશિયાર તેમની રૂમમાં બંને પેટ્રોલ પંપની બે દિવસની ભેગી થયેલી 15 લાખ રૂપિયાની સીલક ટેબલ ઉપર મુકીનેગણી રહ્યા હતાં.

Rs 15 lakh robbery in Dahod-Devgadhbaria

તે વખતે તેમની રૂમમાં પ્રવેશેલા ત્રણ લુટારુઓએ તેની આંખમાં મરચાની ભુકી નાખી15 લાખ રૂપિયાની રોકડ સાથે સીસી ટીવીનું ડીવીઆર પણ લુંટીને ફરાર થઇ ગયા હતાં. પેટ્રોલ પંપઉપર ચાર કર્મચારીઓ કામ કરે છે ત્યારે લુટારુઓ બાઇક ઉપર આવ્યા કે પગપાળા તે પણ કોઇને ખબરપડી ન હતી. લુટની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો. આ બનાવમાં તપાસ બાદકેટલીક કડીઓ મળી રહી ન હોવાને કારણે વિવિધ શંકા-કુશંકાથી પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે.જોકે, ખરેખર લુંટ થઇ છે કે નહીં તેવા અનુમાન ઉપર પોલીસ આખા દિવસ દરમિયાન પહોંચી શકી ન હોવાથી ગુનો દાખલ કરાયો ન હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article