બે પુત્રોને સુતા મૂકીને દંપતી મોતને ભેટ્યા

admin
1 Min Read

ભુજના હમીરસર તળાવમાં આર્થિક ભીંસથી કંટાળીને પતિ પત્ની એ ડૂબી જઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. તળાવમાં મોતની છલાંગ લગાવનાર દંપતી 50 વર્ષીય શ્યામ પરમાનંદ બ્રહ્મક્ષત્રિય અને 45 વર્ષના કલ્પનાબેન શ્યામ બ્રહ્મક્ષત્રિય એ મોતને વહાલું કર્યું હતું. આ દંપતીને બે બાળકો છે. આ બનાવની ખબર પડતા જાગૃત નાગરિકો 108ની મદદ લીધી હતી અને ફાયર બ્રિગેડની ટીમ પણ તળાવ ઉપર આવી પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ કોઈ અગમ્ય કારણોસર આ દંપતીએ આત્મહત્યા કરી છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.  આ દંપતિની ભુજના જુના એસટી સ્ટેશન પાસે પીપર બિસ્કીટની દુકાન હતી અને તેઓ સરપટ નાકા પાસે  ભગતવાડી વિસ્તારમાં રહેતા હતાં. સવારના 8:30 વાગે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તરવૈયાઓની મદદથી આ દંપતીના મૃતદેહને બહાર કઢાયા હતા. ફાયર બ્રિગેડના સચિન પરમાર, યશપાલસિંહ વાઘેલા,  શ્યામગર અને સાવન ગોસવામી તથા પીયુસ સોલંકી જોડાયા હતા.  આ બનાવથી ભુજમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

Share This Article