રાજકોટ- જેતપુર રોડ પર કારખાનામાં ભિષણ આગ લાગી

Subham Bhatt
1 Min Read

રાજયમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, રોજે કોઈને કોઈ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ઉનાળાની શરૂઆત થયો ત્યારથી જ આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ અવાર નવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.

Rajkot: A huge fire broke out in a factory on Jetpur Road

રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર કારખાનામાં ભિષણઆગ લાગવાની ઘટના સામે આવી છે. ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે પર આવેલ બાયોકોલના કારખાનામાં કોઈકારણોસર આગ લાગી હતી. રામેશ્ર્વર સેલ્સ એજન્સી નામના બાયોકોલ બનાવતા કારખાનામાં મગફળીની ફોતરીમાં આગ લાગી હતી. ધટનાની જાણ થતા નગરપાલિકાની 2 ફાયરફાટર ગાડી ટીમ સાથે ધટના સ્થળે પહોચી આગ કાબુમાં લેવામાં
આવી હતી. જોકે, સદનશીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતના શ્વાસ લીધો હતો.

Share This Article