રાજકોટ- દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે ગુજરાતના પ્રોજેક્ટમાં તેને મોદી જ દેખાતા

Subham Bhatt
3 Min Read

દેશના PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારાનિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટજવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતા અને પોતાના સંબોધનમાં ગુજરાતીમાં પૂછ્યું હતું કે તમારા બધાનું રસીકરણ થઈગયું છે ને? લોકોએ હાથ ઊંચો કરી એકસૂરમાં કહ્યું, હા. રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારુ આયુર્વેદ અને અહીં મિનીએઇમ્સ, વાહ મારી બાપુડી…મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં તેને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળું મારી દે. અભિનંદન, તેમની માતાઓને અભિનંદન, જેમણે આવા પુત્રોને જન્મ આપ્યો, આવા ઉનાળાના તાપમાં બહેનોએ માથા પર કળશ લઇ મારું સ્વાગત કર્યું એ બદલ તેમનો પણ આભાર માનું છું.

Rajkot: At one time there was a government in Delhi that saw Modi in the Gujarat project

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે નિયમ બદલ્યો કે ડોક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે, મોસાળે જમણવાર ને મા પીરસનાર હોય તેમ આ ડબલ એન્જિનની સરકારછે. આખી દુનિયામાં સરદાર પટેલનું નામ ગુંજી રહ્યું છે. વિશ્વનું મોટામાં મોંટું સ્ટેચ્યૂ સરદાર પટેલ સાહેબનું બનાવ્યું છે.
મેડિકલમાં પહેલા 1100 બેઠક હતી, હવે 8000 થઈ ગઈ. પહેલા અંગ્રેજી મિડિયમમાં જ ડોક્ટર થઈ શકાતું, પણ હવેમાતૃભાષામાં ભણીને ડોક્ટર થઈ શકાય છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ખુશી છે કે આજે માતુશ્રી કે.ડી. પરવાડિયાહોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળેએટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પૂરાં કર્યાં છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદારપટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકાં મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથીમુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર, આ ફક્ત આંકડા નથી, પણ ગરીબની ગરિમા સુનિશ્ચિતકરવાનું અમારું પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજઆપી છે. નવી પેઢીને કહેજો, આપણે આ કરી બતાવ્યું છે તેમજ સરકારની વિવિધ યોજના વિશે વડાપ્રધાને લોકોને માહિત આપી હતી.

Share This Article