સાણંદ શહેર ખાતે મહારાણા પ્રતાપસિંહની ૪૮૨મી જન્મજયંતિની ઉજવણી

Subham Bhatt
1 Min Read

વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહ ની ૪૮૨ મી જન્મ જયંતિ મહોત્સવ નિમિતે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નામદાર સાણંદ ઠાકોર સાહેબ ધ્રુવસિંહજી જયશિવસિંહજી વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીનો પ્રારંભ સવારે ૯ કલાકે સાણંદ D માર્ટ પાસે કરવામાં આવ્યો હતો

Celebration of 9th birth anniversary of Maharana Pratap Singh at Sanand city

ત્યારબાદ સાણંદ નગરજનો દ્વારા મહારાણા પ્રતાપસિંહ અને દાઢીબાપુની પ્રતિમાનું ફુલહાર પહેરાવી પુષ્પો વરસાવીને સ્વાગત કરાયું હતું જેમાં ૨૫ જેટલી કાર અને ૨૦૦ બાઇકો સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ બાઈક રેલીનું સમાપન દરબાર ગઢ ખાતે થયું હતું જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા તેમજ સાણંદ ધ્રુવસિંહજી વાઘેલા દ્વારા દરેક સમાજનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

 

ઉલ્લેખનીય છે કે સાણંદ નગરપાલિકા પ્રમુખ નેહલબેન શાહને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે આગામી ટૂંક જ સમયમાં મહારાણા પ્રતાપસિંહ અને દાઢીબાપુની પ્રતિમાનું વિમોચન સાણંદ ગઢિયા ચોકડી ખાતે કરવામાં આવશે.

Share This Article