આમોદ બચ્ચો કા ઘર ખાતે કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો.

Subham Bhatt
1 Min Read

વિવિધ સરકારી ખાતાના અધિકારી તેમજ નિષ્ણાંતોએ માર્ગદર્શન આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.આમોદ બચ્ચો કા ઘર ખાતે આજ રોજ સવારે ૧૦ કલાકે વિવિધ શાળાના વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સરકારી ખાતાના અધિકારીઓ તેમજ નિષ્ણાંતોએ હાજર રહી શાળાના વિધાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું.

A career guidance camp was held at Amod Bachcho Ka Ghar.

આ પ્રસંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નિશાંત દવે,ઔધોગિક તાલીમ સંસ્થા ના એચ. વી.મોદી ખેતીવાડી એન્જિનિયરીંગ કૉલેજ ડૉ. કૌશલ વસાવા,પશુ ચિકિત્સા અધિકારી ખેતીવાડી શાખાના અધિકારી,સહિતના અધિકારીઓએ હાજર રહી વિવિધ વિષયો ઉપર વિધાર્થીઓને સમજણ આપી હતી. શાળાના બાળકોએ તેમની કારકિર્દી માટે મુંઝવતા વિવિધ પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું હતું.નાહીયેર ગુરુકુળના આચાર્ય જીવણભાઈ ખૂટે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Share This Article