લાઠીના કવિ કલાપીની 122 મી પુણ્યતિથિ નિમિતે સ્વરાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો

Subham Bhatt
1 Min Read

લાઠીના કવિ કલાપીની 122 મી પુણ્યતિથિ નિમિતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી દીપિકા ચીખલીયા ટોપીવાલા પ્રસૂત આરાધના ચેરીટેબલ ટ્રસ્ટને સથવારે કવિ કલાપીને સ્વરાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમા પદ્મશ્રી શાહબૂદીનભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને શબ્દાજલી અર્પણ કરેલ હતી

Swaranjali program was organized on the occasion of 122nd Punyatithi of Lathi poet Kalapi

જ્યારે સ્વરાંજલી ભુપેન્દ્ર બારોટ અને ક્લાવૃંદ દ્વારા પ્રસૂત કરવામાં આવ્યું હતું એ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ઉપસ્થિત રહ્યા હતા પણ કવિ કલાપીના લાઠી માજ કલાપીને ચાહક વર્ગ ખુબજ ઓછી સંખ્યામાં આવેલ જોવા મળતો હતો ને કવિ કલાપી ને 122 મી પુણ્યતિથિમાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી ને ગણ્યા ગાંઠ્યા રસિકો ની ઉપસ્થિતિમાં થોડીવાર પદ્મશ્રી શાહબૂદીનભાઈ રાઠોડ થોડી લોકસાહિત્ય ની વાતો કરી હતી પણ કાર્યક્રમમાં સંખ્યા ખુબજ પાંખી જોવા મળી હતી

Share This Article