ગાંધી પરિવાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એટલે ED સામે નથી આ‌વતા

Subham Bhatt
1 Min Read

શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૈષધ દેસાઈએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ડર અને ભય ઊભો કરનાર ભાજપાની દમનકારી નીતિ સામે કોંગ્રેસ પક્ષનો સત્યાગ્રહ છે.મોદી સરકારના હાથમાં સરકારી પોપટ એવી એજન્સીઓ છે. તેનાથી કોંગ્રેસના કાર્યકર નેતાઓને દબાવવાનો, ડરાવવાનો, બદનામ કરવાનું કામ થઇ રહ્યું છે.

The Gandhi family is involved in corruption so they do not oppose the ED

મુશ્કેલીમાં મુકવાથી તે તૂટી જશે, તે ભાંગી પડશે તેવું વિચારવું ભૂલ ભરેલુ છે. કોંગ્રેસ કાર્યકર, આગેવાન નેતા અને સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી બમણી તાકાતથી ભાજપની દમનકારી, યુવાવિરોધી, ખેડૂત વિરોધી, મહિલા વિરોધી નીતીનો વિરોધ કરશે.1942માં નેશનલ હેરાલ્ડ શરુ કરવામાં આવી હતી ત્યારે પણ અંગ્રેજોએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.કોંગ્રેસ તેનાથી ડરશે નહિ. કોંગ્રેસ પોતાનો સત્યાગ્રહ ચાલુ રાખશે.

Share This Article