ટીવી ડિબેટમાં પયગમ્બર વિશે અભદ્ર ટિપ્પણી કરીને મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા જેતપુર નવાગઢ મુસ્લિમ સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું

Subham Bhatt
1 Min Read

ભારત દેશમાં અનેક ધર્મો અને જાતિના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે. હાલમાં જ નેશનલ ટીવી ચેનલની ડીબેટમાં ભારતિય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા અને નવિન જીંદાલ દ્વારા પુરી કાયનાતના રહેમતુલીલ આલમીન, ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમ વિરૂધ્ધ અશોભનિય અને અપમાનજનક તથા વિવાદાસ્પદ બયાનો કરી અને દુનિયાભર અને ભારતમાં રહેતા તમામ મુસ્લિમ સમુદાયની લાગણી દુભાવેલ છે જે ખરેખર અશોભનિય છે. ભારતના બંધારણ વિરૂધ્ધનું ફૃત્ય છે અને તે સહન કરવાને પાત્ર નથી જેથી અમો જેતપુર નવાગઢ અને તાલુકા સહિતના તમામ મુસ્લિમો આ ફૃત્યને વખોડી કાઢીએ છીએ અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.

Jetpur Navagadh Muslim Samaj submits application to Mamlatdar, hurting sentiments of Muslim community
ખરેખર આવા ફૃત્યો કરનારા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં બીજો કોઈપણ આવુ કૃત્ય કરવાનું વિચારી પણ ન શકે અને આપણા ભારત દેશનું નામ દુનિયાભરમાં નીચું ન થાય.ભારતિય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા અને નવિન જીંદાલ દ્વારા જે દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે અને દેશ માટે નુકશાનકારક કાર્ય કરેલ છે. તેની તેને સજા મળવી જ જોઇએ અને કડક માં કડક પગલા ભરવા જેતપુર નવાગઢ મુસ્લિમ સમાજ દ્વારા માગ કરવામા આવીછે

Share This Article