ડભોઇ પોલીસ દ્વારા રથયાત્રા ને લઈ ફૂટમાર્ચ યોજવામાં આવી

Subham Bhatt
1 Min Read

ડભોઇ નગર માં આગામી 1 જુલાઈ ના રોજ બદ્રીનારાયન મંદિર થઈ ભગવાન જગન્નાથ ની ભવ્ય રથ યાત્રા નીકળવાની હોય ત્યારે નગરમાં એખલાસ ભર્યું વાતાવરણ રહે અને કાયદો વ્યવસ્થા જડવાઇ રહે તે માટે ડભોઇ ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી ની સૂચના થી પી.આઈ.એસ.જે.વાઘેલા અને પી.એસ.આઈ.એ.જી પરમાર દ્વારા ફૂટમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું

Dabhoi police organized a foot march on the rath yatra

નગરમા શાંતિ દોહડાઈ નહીં અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ફૂટમાર્ચ દરમ્યાન સૂચનો કરવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન થી નીકળેલી ફૂટમાર્ચ વકીલ બાંગલા,લાલબજાર, ટાવર, કંસારાબજાર ફરી વડોદરી ભાગોળ પૂર્ણ થઈ હતી આ પ્રસંગે વાહન ચાલકો ને અને દુકાનદારો ને વાહન પાર્કિંગ વ્યવસ્થિત કરવા સૂચના અપાઈ હતી

Share This Article