કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ત્રણ વર્ષ પૂર્ણ

admin
3 Min Read

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની ઘટનામાં કોઈ નાગરિક કે જવાનનું મોત થયું નથી. આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પહેલા અને પછીની ઘટનાઓની તુલના કરતા, જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે કાશ્મીર ઝોનમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. પોલીસે આ કેસોને છ કેટેગરીમાં વહેંચ્યા છે. તેમાંથી, 5 ઓગસ્ટ, 2016 અને 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કાયદો અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી, જ્યારે 5 ઓગસ્ટ, 2019 અને 4 ઓગસ્ટ, 2022ની વચ્ચે માત્ર 438 ઘટનાઓ બની હતી. આ સિવાય 370 નાબૂદ થયાના ત્રણ વર્ષ પહેલા કાયદો અને વ્યવસ્થાની ઘટનાઓમાં 124 નાગરિકોના મોત થયા હતા, જે વિશેષ દરજ્જો હટાવ્યા પછી શૂન્ય થઈ ગયા હતા. આ સિવાય આવી ઘટનાઓમાં 6 જવાન પણ શહીદ થયા હતા, પરંતુ 2019 પછી એક પણ જવાનનું મોત થયું નથી.

કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વાત કરીએ તો, 5 ઓગસ્ટ, 2016 થી 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કુલ 930 ઘટનાઓ બની હતી, જે 370ને દૂર કર્યા પછી ઘટીને 617 થઈ ગઈ છે. આ આતંકવાદી ઘટનાઓમાં 290 સૈનિકો શહીદ થયા હતા અને 370 લાગુ થયા પહેલા 191 નાગરિકો માર્યા ગયા હતા, કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પછી, 174 સૈનિકો શહીદ થયા હતા અને 110 લોકો માર્યા ગયા હતા.

જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠના એક દિવસ પહેલા, આતંકવાદીઓએ પુલવામામાં હુમલો કર્યો. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને બિન-કાશ્મીરી મજૂરો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે, જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન આ બાબતે યુએનમાં પણ અનેક મુદ્દાઓ ઉઠાવી ચૂક્યું છે પરંતુ પાકિસ્તાને દર વખતે હારનો સામનો કરવો પડી રહ્યો છે, પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ હંમેશા કાશ્મીરને નિશાન બનાવાના ફિરાક માં હોય છે ત્યારે આ દિવસને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. અને આ દિવસે આતંકી ઘટના  ન બને તે માટે પંજાબની સરહદો તેમન જમ્મુ કાશ્મીરના ખાસ સરહદી વિસ્તાર સહીત સમગ્ર પ્રદેશમાં પોલીસ,સેનાઓ ભારે પ્રમાણમાં તૈયાન કરવામાં આવી છે.આતંકવાદને લઈને દિલ્હીમાં પણ એલર્ટ જારી કરાયું છે,15 ઓગસ્ટ પાસે આવી રહી છે ત્યારે દિલ્હી પણ સતર્ક બન્યું છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી, વિપક્ષી પાર્ટીઓ કલમ 370ને હટાવવાનો સતત વિરોધ કરી રહી છે. પ્રાદેશિક પક્ષો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સતત કલમ 370ની પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યા છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તી કહે છે કે કલમ 370 નાબૂદ થવાને કારણે કાશ્મીરમાં સ્થિતિ વણસી છે, જ્યારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા કહે છે કે ભાજપે કલમ 370 હટાવીને ભારતના ભાગલા પાડવાનું કામ કર્યું છે.

Share This Article