- મંત્રી પોતાની સત્તાવાર યાત્રાને ચૂંટણી સંબંધી કાર્યો સાથે નહીં જોડી શકે
- ચૂંટણી પ્રચાર સંબંધી કાર્યોમાં સરકારી તંત્રનો ઉપયોગ નહીં કરી શકે
- કોઈના ટ્રન્સફરની જરૂર પડે તો ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી જરૂરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. જેમાં આજે કેન્દ્રીય ચૂંટણી પંચની બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી છે. તેમાં ગુજરાતના વિવિધ શહેરમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આપણા નેતાઓ આ ચૂંટણીની જાહેરાત બાદ શું નહી કરી શકે તે વિગતવાર સરળભાષામાં જાણીએ.
– મંત્રી પોતાની સત્તાવાર યાત્રાને ચૂંટણી સંબંધી કાર્યો સાથે નહીં જોડી શકે
– ચૂંટણી પ્રચાર સંબંધી કાર્યોમાં સરકારી તંત્રનો ઉપયોગ નહીં કરી શકે
– સરકારી વાહનનો કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર ઉપયોગ નહીં કરી૪.સ્થળાંતરણ અને બદલી પર સંપૂર્ણ પ્રતિબંધ
– કોઈના ટ્રન્સફરની જરૂર પડે તો ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી જરૂરી
– ખાલી પદો પર પણ કોઈ નિમણૂંક ન થઈ શકે
– મંત્રી સરકારી વાહન માત્ર શાસકીય કાર્યો માટે ઉપયોગ કરી શકે
– સરકારી ખજાનામાંથી ઈફતાર પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી આયોજીત ન કરી શકે
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠક છે. તેમાં સામાન્ય બેઠક 142 તથા એસસી અનામત – 13 તથા એસટી અનામત 27 છે. તેમજ રાજ્યમા મતદાન મથકો 51,782 છે. એવરેજ એક બુથ પર 934 મતદાર રહેશે. તથા દરેક વિધાનસભામા એક મોડલ પોલીંગ સ્ટેશન બનાવાશે. જેમાં શહેરી વિસ્તારોમાં 17,506 મતદાન મથકો છે. ગ્રામ વિસ્તારોમાં 34,276 મતદાન મથકો છે. જેમાં 50% કરતા વધુ મતદાન મથકો પરથી લાઈવ વેબકાસટીંગ થશે. તથા 1374 મતદાન મથકો મહિલા સ્ટાફ સંચાલિત રહેશે
કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.