અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે દુકાનમા ચોરી

admin
1 Min Read

રાજપીપળા ચોકડી નજીક આવેલ બંધ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ એક દુકાનમાંથી તસ્કરો રૂપિયા 13 લાખના ટાયર અને અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જો કે ચોરી કરતા તસ્કરો CCTV માં કેદ થયા હતા. અંકલેશ્વરમાં તસ્કરો જાણે બેફામ બન્યાં છે શહેર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાંથી રૂપિયા 11 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કર્યા બાદ સતત બીજા દિવસે અન્ય એક દુકાનમાંથી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. રાજપીપળા ચોકડી નજીક આવેલ એક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. અને અંદરથી વિવિધ કંપનીના રૂપિયા 13 લાખની કિંમતના ટાયર અને અન્ય સમાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને દુકાનમાં લાગવાયેલ CCTV કેમેરા ચેક કરતા કેમેરાના ફૂટેજમાં ચોરી કરી રહેલ તસ્કરો કેદ થયા હતા.પોલીસે CCTV ફુટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article