તંત્રની આળસ, રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો

admin
1 Min Read

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે શહેરમાં જાહેર રોડ ઉપર અડિંગો જમાવીને બેસી જતાં ઢોરોના કારણે ટ્રાફિક જામ સર્જાય છે પાલનપુરના હાઇવે વિસ્તાર,કોઝી વિસ્તાર, ગુરુનાનક ચોક,દિલ્હીગેટ,ગઠામણ જેવા ભીડભાડ વાળા વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસના કારણે અનેક વાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે જેના કારણે વાહન ચાલકો અને શહેરીજનો ઈચ્છી રહ્યા છે નગરપાલિકા રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલી દે અથવા ઢોરોના માલિકોને દંડ ફટકારે અને એવી કોઈ વ્યવસ્થા કરે જેના કારણે જાહેર રોડ ઉપર ઢોર આવે નહિ. ફરીથી પાલનપુરમાંથી હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જનતાનગર વિસ્તારમાં આવેલ ચામુંડાનગર સોસાયટીમાં દોરન 8ની વિદ્યાર્થીની શાળાએ જતી હતી તે દરમિયાન અચાનક રખડતા ઢોરોમાંથી એક ગાય વિદ્યાર્થીનીને શિંગડા વડે ધારથી ચેક ગેટ સુધી ઢસડી હતી. તે બાદ વિદ્યાર્થીનીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે રહીશોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.

Share This Article