કાંકરેજના ચીમનગઢ ગામમાં હત્યાની ઘટના

admin
1 Min Read

કાંકેરજ તાલુકાના ચીમનગઢ ગામમાં સુતેલા યુવાનની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખવામાં આવી હતી. 22 વર્ષીય યુવાન દિનેશ રાયમલભાઈ ચૌધરી રાત્રે સૂતો હતો ત્યારે તેની હત્યા કરાઈ હતી. તેની ખેતમજૂર તરીકે કામ કરતા રાજસ્થાનના જાડોલ તાલુકાના કૈલાસભાઈ આદીવાસી યુવકે હત્યા કરી હતી. યુવકના મૃતદેહને શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડી પીએમની તજવીજ હાથ ધરી હતી. હત્યા બાદ આસપાસ લોકોના ટોળા ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંકરેજ ના ચીમનગઢ ગામમાં હત્યા ની ઘટના સામે આવી છે. જેમાં 22 વર્ષીય કથરોટીયા દિનેશભાઇ રાયલમભાઈની હત્યા થઇ હતી. રાજસ્થાનથી મજૂરી અર્થે આવેલા યુવકે શેઠની હત્યા કરી અને ફરાર થઇ ગયો છે.હત્યાના બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની તપાસમાં ઘટના સ્થળેથી કુહાડી મળી આવી છે. પોલીસને રાજસ્થાનના એક શખ્સે હત્યા કરી હોવાનું અનુમાન છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ આરંભી છે.

Share This Article