ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા

admin
1 Min Read

મહાનગરોમાં અસામાજીત તત્વો બેફામ બની ગયા છે. પોલીસ અને કાયદાનો ડર રાખ્યા વિના અસમાજીક તત્વો પોતાનો આતંક મચાવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ પોલીસના ડર વિના અવાર નવાર હુમલા કરતા રહે છે. ભાવનગરમાં બે યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પાલીતાણાના નવાપરા ચોક વિસ્તારમાં 10 શખ્સોના ટોળાએ 2 યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ હુમલો અંગત અદાવતમાં કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જીવલેણ હુમલો કરી અસામાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. જેમની શોધખોળ કરવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. તો બીજીબાજુ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ બન્ને યુવાનોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

 

Share This Article