બનાસકાંઠા : ડીસાના ભોપાનગરનો બનાવ

admin
1 Min Read

બનાસકાંઠામાં ધિંગાણુ થવાની બાબત કોઈ નવી નથી. બે જુથો અને બે કોમો વચ્ચે મારામારી અને પથ્થરમારાની ઘટનાઓ અહીં બનતી રહે છે. ત્યારે વધુ એકવાર આવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ડીસાના ભોપાનગર વિસ્તારમાં સરાણિયા કોમના લોકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીની ઘટનામાં ત્રણ લોકો લોહીલુહાણ થયા હતા. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ધિંગાણાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પીડિત વાડિયા ગામના સરાણીયા કોમના હોવાનું સામે આવ્યુ છે. તો બીજીબાજુ પીડિત પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર મામલે ઝઘડો પોલીસે કરાવ્યો હતો, જેના કારણે મામલો બિચક્યો હતો.

Share This Article