લુણાવાડા બેઠક માટે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર

admin
1 Min Read

મહીસાગરના લુણાવાડા બેઠક મતે પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીતું વાઘાણી હાજર રહ્યા હતા. જીતું વાઘાણીએ પોતાના નિવેદનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જીતું વાઘાણીએ કોંગ્રેસને ગાંડા બાવળ સાથે સરખામણી કરી હતી. તે બાદ બિન સચિવાલયની પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે લુણાવાડાની પેટા ચૂંટણી ટાણે કૉંગ્રેશને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેશના વર્ષોથી સક્રિય કાર્યકર રહેલા પીનાકીન શુક્લ ભાજપમાં જોડાયા છે. પીનાકીન શુક્લએ જીતુ વાઘાણીના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પીનાકીન શુક્લ, વિરપુર કારોબારી અધ્યક્ષ પ્રદીપ શેઠ તેમ ચાર કોંગ્રેસ સભ્યોએ પણ કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો છે. લુણાવાડાના કડાછલા ગામે ભાજપના જાહેર કાર્યક્રમમાં પિનાકિન શુકલ્ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને મધ્ય ગુજરાત ઠાકોર સમાજના આગેવાન વિનુ ઠાકોર, તેમજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી અને આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા મંચના પ્રમુખ મનોહરસિંહ પરમાર ભાજપમાં જોડાયા છે.

Share This Article