બિનસચિવાલયની પરીક્ષા રદ થતા વિરોધ

admin
2 Min Read

ભાવનગર સહિત રાજ્યમાં હાલમાં રદ થયેલી બિનસચિવાલયની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. ધોરણ 12 પાસને બદલે સ્નાતક કરેલા ઉમેદવાર પરીક્ષા આપી શકશે તેવા નિયમ સાથે સરકાર દ્વારા માત્ર 20 દિવસ પરીક્ષાને બાકી રહ્યા બાદ અચાનક રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.  જે અંગે ભાવનગર શહેર જિલ્લાના ધોરણ 12 પાસ ઉમેદવારો મોતીબાગ ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થાય હતા. અને સરકારના નિર્ણયનો વિરોધ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવા પહોચ્યા હતા. જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે પ્રથમ તો ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવા માટે પૈસા ખર્ચવાના, બાદ માં પરીક્ષાની તૈયારીઓ કરવા સમય બગાડવાનો અને પછી પરીક્ષા નજીક આવે ત્યારે ટ્યુશન કલાસ પણ પૈસા ખર્ચી જાય છે. ત્યારે હવે સરકાર દ્વારા અચાનક ધોરણ 12 પાસને બદલે સ્નાતકનો નિયમ લાગુ કરી પરીક્ષા રદ કરતા ઉમેદવારોને ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે. અને સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી આપવાને બદલે સરકાર બેરોજગારી વધારી રહી હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઇ સુધારો કરી પરીક્ષા રદ કરતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લાના ઉમેદવારોમાં પણ એકઠા થઇ આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં સરકાર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે…..

 

Share This Article