મહીસાગર : બાલાસિનોરમાં રોજગાર મેળાનું આઓજન કરાયું

admin
1 Min Read

મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે આવેલ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે મતે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ ટ્રસ્ટમાં પ્રધાનમંત્રીના સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા રોજગાર લક્ષી કોષોની તાલીમ આપીને રોજગારી ઊભી થાય તેના માટે વિવિધ પ્રકારના અલગ-અલગ સંસ્થાઓને સાથે રાખી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. અને તારીખ 20/ 10/ 2019ના દિવસે ભરતી મેળાનું આયોજન કર્યું હતું તે ભરતીમેળામાં ૭૦ વધુ લાભાર્થીઓએ આ ભરતી મેળાનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મહિસાગરના બાલાસિનોર મુકામે આવેલ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેના માટે વિવિધ પ્રકારના અલગ-અલગ સંસ્થાઓને સાથે રાખી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોએ હાજરી આપી હતી.

 

Share This Article