ભુજ : રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

admin
1 Min Read

ભુજ તાલુકા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ભૂકંપ બાદ કચ્છમાં અનેક કંપનીઓ આવી છે અને સરકારી રાહતોનો લાભ લીધો છે ત્યારે શરત હતી કે કચ્છના સ્થાનિક રહેવાસીઓને ૮૫ ટકા નોકરી આપવામાં આવે પરંતુ કંપનીઓ નોકરી આપવામાં નિષ્ફળ ગઈ છે. આવી અનેક વાત આવેદનપત્રમાં કરવામાં કરવામાં આવી છે. બજરંગ દળ દરેક કંપનીઓની મુલાકાત લઇ અને સ્થાનિક નિરીક્ષણ કરશે અને કંપનીઓને સ્થાનિક રહેવાસીઓને રોજગારી આપવા માટે રજૂઆત કરશે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ સંદર્ભે કચ્છ જિલ્લા કલેકટરને આજે પાટીદારોએ આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો કરી હતી.

Share This Article