ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત નોકઆઉટ વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનો મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મંગળવારના રોજ પ્રારંભ કરાયો હતો. વિશાળ પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા ધરાવતા આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાનું જિલ્લાના તથા ગુજરાતના ક્રિકેટ ખેલાડીઓનું એક સ્વપ્ન હોય છે. કુરાન શરીફના પઠનથી ઉદઘાટનની શરૂઆત કરાઇ હતી. ત્યાર બાદ સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથીએ પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં દરેક ક્રિકેટ પ્રેમીઓને તથા ક્રિકેટરોને આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાય અને ક્રિકેટનો આનંદ માણી શકે એવી અપીલ કરી હતી. તથા સ્પોર્ટ્સ ક્લબના સંચાલક ઝાકીરભાઈ ઉમતાએ પણ પોતાના ટૂંકા પ્રવચનમાં ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પાર પડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલર તથા સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ લાલન તથા મુસ્તુફા ખોડા, યાસીન શંભુ, બિલાલ લાલન તેમજ ગામના નવયુવાનો, વડીલો, ક્રિકેટ પ્રેમીઓ, આગેવાનો પાલેજના અગ્રણી શબ્બીરભાઈ, વલણ ગામના અગ્રણી મુસ્તાક ટટ્ટુ, મેસરાડના અગ્રણી વાજિદ જમાદાર તથા પરીએજના ઈરફાન સરબલ, ભરૂચથી પધારેલા રતિલાલ પરમાર તેમજ કરણ ટેલર અને સાદિક સાલેહ તથા આસપાસના ગામના આગેવાનો તથા ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. અબ્દુલ્લાહ કામથીએ સ્પોર્ટ્સ ક્લબના તમામ સદસ્યોનો આભાર માન્યો હતો. સમગ્ર સમારંભનું સંચાલન અબ્દુલ્લાહ કામથીએ કર્યું હતું….
ટંકારીઆમાં નોકઆઉટ વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ…
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.