ભરૂચમાં બળાત્કારનો કિસ્સો સામે આવ્યો , પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી

admin
1 Min Read

એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાયરસન કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુનાખોરીમાં પણ કોઈ ઘટાડો જોવા મળતો નથી. તેવામાં ભરૂચમાં એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો હતો. તો ભરૂચમાં આવેલા જંબુસર તાલુકાના એક ગામે સગીરા પોતાના કાકાના ઘરે સુવા ગઈ હતી અને કાકા કાકી રાત્રિના સમયે આંબાવાડી સાચવવા ગયા હતા. તેનો લાભ ઉઠાવી એ જ ગામ ખાતે રહેતો નરાધમ રાકેશ ઉંમર વર્ષ આશરે ૨૦ તેણે ઘરમાં પ્રવેશ કરી સગીરાનું મોં દબાવી બળજબરીથી દુષ્કર્મ આચરતાં સગીરાએ બૂમરાડ મચાવી હતી.

 

તે સગીરાએ બૂમાબૂમ કરી હોવાથી નરાધમ ભાગી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે સગીરાના પિતાએ વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેડચ પોલીસે નરાધમ રાકેશ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ રાઠોડે તપાસ કરીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Share This Article