ભરૂચમાં એક દુકાનમાં લાગી આગ , આગ લાગતા અફરાતફરી મચી જવા પામી

admin
1 Min Read

આ લોકડાઉન દરમિયાન ભરૂચમાં આગનો બનાવ સામે આવ્યો હતો. તેવામાં ભરૂચના પાલેજ નગરના સાલેહ કોમ્પલેક્ષમાં આવેલી ગુલનાજ કોસ્મેટિક શોપમાં ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ત્યારે અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જતા નજરે પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ત્યારબાદ આગની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેવામાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ બાબતે દુકાનના માલિકે જણાવ્યું હતું કે, દુકાનમાં રહેલા માંલ સમાન તેમજ રોકડ રકમ સહિત બે થી અઢી લાખના નુકસાનની આશંકા દર્શાવી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારે સાવચેતીના ભાગરૂપે ધનજિશા જીન વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

Share This Article