અમદાવાદમાં કોરોનાના વધુ 212 પોઝિટિવ કેસ સામે આવ્યા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો છે. ત્યારે 18 જુલાઈ સાંજથી 19 જુલાઈ સાંજ સુધીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 2051 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જે પૈકી 212 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 24375 થઈ ગઈ છે.

જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 24 કલાકમાં 167 લોકોએ કોરોનાને માત આપી છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદમાં 19024 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 1549 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. જ્યારે અત્યારે જિલ્લામાં 3802 કોરોનાના એક્ટિવ કેસ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જોકે, વહિવટી તંત્ર દ્વારા સક્રિયતા દાખવવામાં આવતા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share This Article