ગુજરાતમાં 24 કલાકમાં વધુ 549 કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 549 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 604 દર્દીની તબિયતમાં સુધારો થયો છે.  ગુજરાતમાં નવા 549 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 28429 થઈ ગઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 26 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1711 થયો છે.

જ્યારે અત્યાર સુધી કુલ 20521 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 235 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 175, વડોદરામાં 42 કેસ નોંધાયા છે. જ્યારે  જામનગરમાં 12, ભરુચમાં 11 અને ગાંધીનગરમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5, પંચમહાલ-મહિસાગર-કચ્છ-વલસાડ-નવસારીમાં 4-4 કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત ગીર સોમનાથ-સુરેન્દ્રનગરમાં 3-3, આણંદ-રાજકોટ-બોટાદ-પાટણ-સાબરકાંઠા-છોટાઉદેપુરમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી-દાહોદ-અમરેલી અને ખેડામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 6197 એક્ટિવ કેસ છે. જેમાં 62 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6135 સ્ટેબલ છે.

Share This Article