બનાસકાંઠા-થરાદ સાંચોર હાઇવે પર ગત મોડી રાતે એટલે 16 ઓગસ્ટનાં રોજ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતાં. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. થરાદ સાંચોર હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. સુરેન્દ્રનગરનાં 5 વ્યક્તિઓ પોતાની કાર લઇને થરાદથી સાંચોર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતે સામેથી આવી રહેલી ટ્રક સાથે તેમની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા 5 માંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ઇજાગ્રસ્ત પ્રવીણભાઇ ઠાકોરે જણાવ્યું કે, અમે રાજસ્થાન બોર્ડર ફક્ત આઠ કિમી દૂર હતી.અને હાઇવે પર સામેથી વાહનની લાઇટનો ફોક્સ આવતા આગળ જતી ટ્રકના દેખાઇ અને આ ગોઝારો અકસ્માત રાત્રે સર્જાયો અને એ પછી શું બન્યું એ બિલ્કુલ યાદ નથી. ઘટનાની જાણ થતાં પાટડી ઠાકોર સમાજના ગોગી ઠાકોર સહિતના યુવાનો રાજસ્થાન દોડી ગયા હતા અને શનિવારે પાટડીમાં નીકળેલી અંતિમયાત્રામાં લોકોએ જોડાઇને શ્રધ્ધાંજલી આપી હતી.