થરાદમાં કેન્દ્ર મંત્રી પુરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ જાહેર સભાને  સંબોધી હતી અને વિધાનસભાની પેટાચૂંટણીમાં જીવરાજભાઇ પટેલને  જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકારે ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે અનેક લાભ આપ્યા છે. ભાજપ સરકાર ખેડૂતો અને ગરીબોની સરકાર છે માટે થરાદ માંથી એક કમળ ગાંધીનગર મોકલવાનું આહવાન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઇ છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને વિવિધ સભાઓ સંબોધવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ થરાદની ગાયત્રી વિધાલય ખાતે સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર  જીવરાજભાઇ પટેલને જીતાડવા માટે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઈ ઉમેદવાર નહીં જીત્યો હોય તેટલી લીડથી જીવરાજભાઇ પટેલ જીતશે. કોંગ્રેસ દેશમાં નક્કર જુઠાણું ફેલાવીને દેશને ગેરમાર્ગે દોરી રહી છે તેવા ક્રોગ્રેસ પર આકરા પ્રહારો પણ પુરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યા હતા.

Share This Article