વડોદરામાં માર્કશીટને લઈ વિદ્યાર્થીઓનો હોબાળો

admin
1 Min Read

વડોદરાની એમ.એસ.યુનિવર્સીની કોમર્સ ફેકલ્ટીના એફ.વાય બી.કોમ.ના વિદ્યાર્થીઓની માર્કશીટ ના અપાતાં એજી.એસ.જી.ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા ભારે સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. તેમજ યુનિવર્સીટીની હેડ ઓફીસ ખાતે આ અંગે રજુઆત કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીમાં હાલ જે વિદ્યાર્થીઓ એસ.વાય.બીકોમ.માં અભ્યાસ કરી રહ્યા છે. તેમની એફ.વાય.બીકોમ.ની માર્કશીટ છેલ્લાં 6 મહિના થઈ ગયા હોવા છતાં આપવામાં આવી નથી. ઉપરાંત યુનિવર્સીટીની વેબસાઇટ પર હજી સુધી પરીક્ષાનો સિલેબસ મુકવામાં નથી આવ્યો જ્યારે પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે એજી.એસ.જી.ગ્રુપના વિદ્યાર્થી  નેતા પ્રદીપ રબારીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ એકત્ર થઈ યુનિવર્સીટીની હેડ ઓફીસ ખાતે પહોંચી ભારે સુત્રોચ્ચારો કર્યા હતા. તેમજ યુનિવર્સીટી સત્તાધીશોને આવેદન પત્ર પાઠવી વિદ્યાર્થીઓને વહેલી તકે માર્કશીટ આપવામાં આવે તેમજ વેબસાઈટ પર સિલેબસ મુકવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી હતી…

Share This Article