નવાગઢ પાસે આવેલ ભાદર નદીના પુલ પર આજે વધુ એક ટેન્કર તેમજ ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બેથી ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હોવાની વીગતો મળી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફોરવીલનુ કચ્ચરઘાણ વળી ગયુ હતુ. તેમજ ટેન્કર પુલની રેલીગ તોડીને નીચે ઊંડા ખાડામાં ખાબકી ગયું હતું, અકસ્માત થવાના કારણે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.
રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ આ પુલ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી રીપેરીંગ કામ કરવાને લીધે એક સાઈડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ બંધના કારણે અનેક વખત અકસ્માતો સર્જયા છે અને કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી દે છે. તેમ છતાં તંત્રને આ પુલ રીપેરીંગ કરવામાં જરાપણ રસ નથી. લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે પણ આંધળા સરકારી બાબુઓને આ પુલ ચાલુ કરવાનુ સુજતુ જ નથી.