અમદાવાદ : રિવર્ફન્ટ પર યોજાશે ‘બુરખા એક્સ્પો 2019’

admin
1 Min Read

વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદમાં અવનવા એક્ઝિબિશન યોજાતા રહે છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે 3M Event ઈવેન્ટ મેનેજન્ટ દ્વારા 23 થી 26 નવેમ્હર દરમ્યાન બુરખા એક્સ્પો 2019નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 300થી વધારે બ્રાન્ડ, 50થી વધારે કોન્ફરન્સ, 500થી વધારે એક્ઝિબિટર્સ, 1,000થી વધારે ડેલિગેટ્સ, 3 લાખ જેટલા વિઝીટર્સ ભાગ લેશે. સાથે જ સ્ટેજ પર્ફોર્મન્સ અને લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે જેમાં બાળકો દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ, બાળ મજુરી અને મહિલા સશક્તિકરણ સહીતના મુદ્દાઓ પર પર્ફોરમન્સ કરશે. સાથે જ પદ્મશ્રી મુનવ્વર રાણા, શ્રી રાહત ઈંદોરી, અને અબ્રાહમ કાશિફ સાહેબ જેવા મોટા ગજાના કલાકારો દ્વારા મુશાયરા પરફોર્મન્સ પણ યોજવામાં આવશે.

Share This Article