અમદાવાદ : વિશાલા સર્કલ પાસે બે શ્રમિકોના મોત

admin
1 Min Read

અમદાવાદના વિશાલા સર્કલ પાસે ત્રણ કામદાર ગટરમાં ફસાયા હોવાનું સામે ઘટના સામે આવી છે. સાફસફાઈ કરવા માટે ગટરમાં ઉતરતા સમયે ફસાયા હતા. જે બાદ ત્રણેયને ગટરમાંથી બહાર કઢવામાં આવ્યાં હતા. જેમાથી એકનો બચાવ થયો છે. તો અન્ય બે કામદારોના મોત થયા છે. પાણીની ટાંકી સાફ કરવા ત્રણ મજુરો અંદર ઉતર્યા હતા. જે બાદ ત્રણે કામદારને ભારે ઈજા થઈ હતી જે બાદ તેને બહાર કાઢવામાં આવ્યાં હતા. જેમાંથી બે કામદારના મોત થયા જ્યારે અન્ય એકનો બચાવ થયો છે. જ્યારે બંને મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો અન્ય એક કામદારને ગંભીર ઈંજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ અમદાવાદમાં બીજી પણ એક દુર્ઘટના બની હતી. જેમાં અમદાવાદની સાબરમતિ નદીમાં 2 લોકોના ડુબવાથી મોત થયા છે. યુવતીએ સાબરમતિ નદીમાં આપઘાત કરવા ઝંપલાવ્યું હતું. યુવતીને બચાવવા અમદાવાદના સિક્યુરિટી ગાર્ડે પોતાનુ જીવ ગુમાવ્યો છે. આપઘાત કરવા આવેલી યુવતીને બચાવવા ગાર્ડ નદીમાં કુદ્યો હતો. યુવતીએ જીવ ખોયો સાથે ગાર્ડનું પણ ડુબવાથી મૃત્યુ થયું છે.

 

Share This Article