બનાસકાંઠા : સુરતથી રાજસ્થાન જતી લક્ઝરી બસને અકસ્માત

admin
1 Min Read

થરાદ-સાચોર હાઇવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુધવા નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 12 લોકોને 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. એક ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 6 બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે. જેમાં થરાદ બેઠક પણ સામેલ છે. એક તરફ થરાદમાં સવારથી જ મતદાનનો ધમધમાટ શરૂ થયો હતો, ત્યાં બીજી તરફ હાઈવે પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં 4 લોકોને ઘટના સ્થળે મોત થયા હતા. તો બીજા કેટલાક લોકો ઘાયલ થતા હતા. આ બાબતની પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી. જયારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Share This Article