અમરેલી શહેરમાં થોડા દિવસ પહેલાં રામજી મંદિર રોડ ઉપર ફાયરીંગની ઘટના ઘટી હતી જે ફયરીગમા એસ.ટી.બસનાં ડ્રાઇવર નીકળ્યા જે અનુસંધાને એસ.પી. નિર્લીપ્ત રાયની સુચના અન્વયે ડી.વાય. એસ.પી. ભંડારી સહિત અમરેલી સિટી પી.આઇ.જે.જે ચૌધરી દ્વારા અમરેલીના એસ.ટી.ડેપોમાં આવતી તમામ રૂટોના બસોના ડ્રાઇવરોને બ્રેથ એનેલાઇજર મશીનથી ચેકિંગ હાથ ધર્યુ જેથી ખ્યાલ આવે કે કોઇ ડ્રાઈવર નશો કરેલી હાલત પોતાની ફરજ પર રહીને એસ.ટી.બસ.પરનું ડ્રાઇવીંગ કરીને લોકોના જીવ જોખમાઈ તેવું નથી કરતા ને તે હકીકતની તપાસ અર્થે અમરેલી શહેર સિટી પી.આઇ જે.જે.ચૌધરી દ્વારા પોલિસ સ્ટાફને સુચના આપેલ એસ.ટી સ્ટાફ તેમજ એસ.ટી સ્ટોપ સહિતના આસપાસ ફરતા અસામાજીક તત્વોનુ પણ ચેકિંગ કરવા કડકમાં કડક સુચના આપી છે