અમરેલી : જાફરાબાદમા જી.ઇ.બીનો વીજ વાયર પડતા એકનુ મોત થતા અરેરાટી વ્યાપી

admin
1 Min Read

અમરેલીના જાફરાબાદમા વિજળીનો જીવંત વાયર એક વ્યક્તિ પર પડતા કરુણ મોત થયું હતું. આ વ્યક્તિના મોતથી પરિવાર સહિત ગ્રામજનો શોકમય થયા હતા.મળતી માહિતી મુજબ અમરેલી જીલ્લાના જાફરાબાદમા જી.ઇ.બીનો વીજ વાયર પડતા એકનુ વ્યક્તિનું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે

જેમાં જાફરાબાદમા મકાન રીપેરીંગ દરમ્યાન આ વીજ વાયર પડતા સાહિદભાઈ યાકુબભાઈનું મોત થયું છે. મકાન માલિક રીપેરીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી જીવતો વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. પરંતુ સાહિદભાઈ યાકુબભાઈનું ઘટના સ્થળે મોત થઇ ચુક્યું હતું. તો આ ઘટનાને પગલે મુસ્લિમ સમાજમાં શોક છવાયો છે. મજુરી કરતા પિતાનો મોટો પુત્ર મોતને ભેટતા કુટુંબમાં કરૂણ દ્રશ્યો સર્જાયા..

Share This Article