ગુજરાત વિધાનસભાની 6 પેટાચૂંટણી પરિણામ બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ થરાદ, બાયડ, અને રાધનપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થતા નેતા વિપક્ષ ધાનાણીએ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પર પ્રહારો કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું માંગવાની વાત કહી છે. સતા મેળવવાના હવાતિયાં મારતા અલ્પેશ ઠાકોરના સપના ચકનાચૂર થયાનું નેતા વિપક્ષ ધાનાણીએ જણાવ્યું હતું. સાથે અવિરત વરસાદથી કપાસ મગફળીના નુકસાન અંગે ત્વરિત સર્વે કરીને ખેડૂતોને ન્યાય માટેની માંગ નેતા વિપક્ષ દ્વારા કરી હતી.