અમરેલી: રાજુલામાં ત્રણ રસ્તાઓનું ખાતમુહુર્ત

admin
1 Min Read

અમરેલીના રાજુલા શહેરના અતિ મહત્વના વિસ્તાર એવા ૩ રોડનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. આ ખાતમુહુર્ત ધારાસભ્ય અંબરીશ ડેર તથા નગરપાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યુ હતું. ત્રણ મહત્વના રસ્તાઓનું ખાતમુહુર્ત કરવામાં આવતા નગરવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યુ હતું કે, રાજુલા નગરપાલિકાના સત્તાધીશો પોતાની જવાબદારી સમજી આ રોડ જે નીયમ મુજબ પાસ થયો છે તેની ગુણવત્તા જળવાય રહે તેનું ખાસ ધ્યાન રાખે.

તેની પુરતી તકેદારી પણ રાખવામાં આવે. સાથે જ ધારાસભ્ય અંબરીશ ડેરે આ કામમાં જોડાયેલ કોન્ટ્રાક્ટરોને પણ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નિયમ મુજબની કામગીરી કરે તેમ જણાવ્યુ હતું.  આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અંબરીશ ભાઈ ડેર, નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ કિશોર ભાઈ ધાખડા, ઘનશ્યામભાઈ લાખનોત્રા, અમિત ભાઈ જોશી સહિત રાજુલા શહેરના કોંગ્રેસના હોદ્દેદારો તથા શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article