ગુજરાતમાં કોરોનાના વધુ 725 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો ક્યાં નોંધાયા કેટલા કેસ..

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછુ થવાનું નામ જ નથી લઈ રહ્યો. દિવસેને દિવસે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે 4 જુલાઈ સાંજથી 5 જુલાઈ સાંજ સુધીમાં વધુ 725 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 36123 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 18 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1945 થયો છે. જ્યારે 24 કલાકમાં 486 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 25900 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 254 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 177, વડોદરામાં 64 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત રાજકોટમાં 42, વલસાડમાં 18, ભાવનગરમાં 16, ભરુચમાં 15 કેસ સામે આવ્યા છે. જ્યારે જુનાગઢમાં 13, ખેડામાં 12, ગાંધીનગર-પાટણમાં 11-11, મહેસાણા—સુરેન્દ્રનગર-તાપીમા 9-9 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બનાસકાંઠા-સાબરકાંઠા-દાહોદમાં 8-8 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 8278 એક્ટિવ કેસ છે. જેમાં 72 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 8206 સ્ટેબલ છે.

Share This Article