Connect with us

ભાવનગર

બોટાદમાં ખેતમજૂર દંપતી પર થયો હુમલો

Published

on

બોટાદ તાલુકાના સરવઈ ગામે ખેતરના ઉભા પાકમાં ઢોર ચારવાની ના પાડતા ઉશ્કેરાયેલા લોકો દ્વારા ખેતમજૂર દંપતિને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. ઊભા પાકમાં ઢોર ચરાવવા જેવી સામાન્ય બાબતમાં 1 મહિલા અને 1 પુરુષ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. બોટાદ તાલુકાના સરવઈ ગામના ખેતમજૂરી કરી રહેલ ભાગીયા દંપતી દ્વારા સરવઈ ગામના જ ભરવાડ સમાજના લોકો દ્વારા હુમલો કરાયો હતો. બંન્ને ખેતમજૂર પતિ-પત્નીને ઢોર માર મારતાં અતિ ગંભીર જણાતા સારવાર અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આવા કૃત્ય બદલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આટલી નાની વાતમાં મહિલા અને 1 પુરુષ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. દિવસેને દિવસે લોકોની માનસિક પરિસ્થિતિ બગડતી જ જાય છે. જ્યાં જોઈએ ત્યાં લોકો નાની-નાની વાતોમાં ગુસ્સે થઇ જતા હોય છે તેમજ ગંભીર અપરાધો કરી બેસે છે. આજના સમયમાં ગુસ્સા પર કંટ્રોલ કરવો ખુબ જ જરૂરી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ભાવનગર

પીજી અને પીજી ડિપ્લોમામાં 15 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે

Published

on

Admission process for PG and PG Diploma will start from June 15

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં આગામી પ્રવેશ પરીક્ષા અંગે આજે પ્રવેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય કરાયો હતો કે પીજી અને પીજી ડીપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન પ્રક્રિયાનો 15મી જૂનથી પ્રારંભ થશે.એડમિશન માટે વિદ્યાર્થીઓ તારીખ 15 જૂનથી 24 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તારીખ 28થી 30 જૂન સુધી યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને આ સમય દરમિયાન વિદ્યાર્થી પોતે ભરેલા ઓનલાઈન ફોર્મમાં ફેરફાર કરી શકશે.

Admission process for PG and PG Diploma will start from June 15

ત્યારબાદ તારીખ 4 જુલાઈથી જાહેર થયેલા મેરિટ લીસ્ટ મુજબ પ્રવેશ કન્ફર્મ કરી શકાશે. આ અંગેની વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ ‍www.mkbhavuni.edu.in પર ઉપલબ્ધ કરવામાં આવશે.વધુમાં આ સભામાં પ્રવેશ પ્રક્રિયા અંગે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.ગિરીશભાઈ પટેલ અને ડો. ઇન્દ્ર ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગેની તૈયારીઓ અંગેના આયોજન બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી. સુચારૂ રીતે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન થાય અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શન સરળતાથી મળે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલ છે.

Continue Reading

ભાવનગર

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર

Published

on

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

બપોરે 11:15 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશેદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.

Continue Reading

ભાવનગર

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે

Published

on

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે દર્દીઓ માટે મેડિકલ ઓફિસર, નર્સની દેખરેખ હેઠળ સંપૂર્ણ સારવાર મળે તેવી વ્યવસ્થા ભાવનગરમાં સેવાકીય સામાજિક, શૈક્ષણિક, મેડિકલ અને અન્ય અનેકવિધ લોકોપયોગી કાર્યો કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા પથારીવશ વ્યક્તિઓની સર્વગ્રાહી સંભાળ માટે પરમેનેન્ટ પ્રોજેકટ રોટરી કરુણાલય અ હોસ્પિસલ એન્ડ રિહેબીલીટેશન સેન્ટરની આરંભ પૂ. મોરારિબાપુના આશિર્વાદ અને DGN નિહિર દવે (રોટરી ડિસ્ટ્રી. 3060), ડો. પરેશ મજમુદાર (પ્રેસિડેન્ટ – ગુજરાત સ્ટેટ IMA અને જનાર્દનભાઈ ભટ્ટ હસ્તે કરવામાં આવ્યો હતા.

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

 

હાલના સમયમાં કુટુંબીજનોની ઈચ્છા હોવા છતા અનેક કારણોને લીધે બીમારીથી પથારીવશ વ્યક્તિઓની સંભાળ એ અઘરો કોયડો બનતો જાય છે આ સંજોગોમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આવી વ્યક્તિઓને મેડિકલ ઓફિસર, નર્સ, વોર્ડબોય કે આયાઓની દેખરેખ અને હૂંફ હેઠળ સાજા-સારા થાય અને સ્વગૃહે પરત ફરે એવી સુચારૂ વ્યવસ્થા અત્યંત વ્યાજબી દરે ભાવનગરના હાર્દ સમા પાનવાડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓ માટે ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની સેવા પણ સેન્ટરમાં ખાતે રાખવામાં આવેલ છે

Continue Reading
Uncategorized5 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized6 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized6 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized6 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized6 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized6 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized6 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized6 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized3 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending