બનાસકાંઠા- દિયોદર બાણ માતાજીના મંદિરનો 15મો પાટોત્સવ યોજાયો

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના દિયોદર બાણ માતાજી ના મંદિરે 15 મો પાટોત્સવ નો પ્રારંભ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે બિરાજમાન બાણ માતાજી ના મંદિર ખાતે 15 મો પાટોત્સવ નો આજ થી પ્રારંભ થયો છેઆજે વહેલી સવારે થી બાણ માતાજી ના મંદિર ખાતે થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ શોભાયાત્રા બાણ માતાજી ના મંદિર થી નીકળી જુના બસ સ્ટેશન,જૂની માર્કેટ યાર્ડ,રેલવે સ્ટેશન ,હાઇવે વિસ્તાર માં ફરી હતી

Banaskantha- 15th Patotsav of Deodar Ban Mataji temple was held

જેમાં હજારો ની સંખ્યા માં ભક્તો આ શોભાયાત્રા માં જોડાયા હતા જેમાં વિહોતર ચૌદ પરગણા પરિવાર પણ ઉપસ્થિત રહેલઆ 15 મો પાટોત્સવ અને પ પૂ 108 જગજીવન દાસ બાપુ જીવંત ભંડારો પણ યોજાશે બે દિવસિય આ મહોત્સવ ને લઈ સમગ્રગુજરાત માંથી લોકો ઉમટી પડ્યા છે જેમાં આજે ભવ્ય શોભાયાત્રા ની સાથે સાથે ધર્મ ધજા,ચાંદી તુલા તેમજ ભવ્ય લોક ડાયરો પણ યોજાશે

Share This Article