બનાસકાંઠા : અંબાજી-પાલનપુર હાઈવે પર 3 કાર વચ્ચે સર્જાયો અકસ્માત

admin
2 Min Read

ક્યારેય વહેલા પહોંચવાની લ્હાયમાં ઓવરસ્પીડ કે પછી બેદરકારીથી વાહન હંકારવાને પગલે અકસ્માતો સર્જાતા હોય છે. દેશમાં દરરોજ અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવે છે. અનેક કિસ્સામાં નિર્દોષ લોકો પણ જીવ ગુમાવતા હોય છે અંબાજી પાલનપુર હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે અકસ્માતમાં અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને વિશ્વાસ નહીં કરી શકો કે આ કંઈ રીતે કારની ટક્કર થઈ હશે….મળતી માહિતી પ્રમાણે દાંતા પાલનપુર રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે.થુર કરનાળા પાસે આ અકસ્માત થયો હતો. ત્રણ ગાડીઓ વચ્ચે ટક્કરમાં બે લોકોના મોત થયા છે

જાણવા મળતી માહિતી પ્રમાણે અલ્ટો ઈકો અને સ્કોર્પીયો કારની ટક્કરમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. અકસ્માતને પગલે પોલીસને ટ્રાફિકને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી ત્રણેય કાર વચ્ચે કેટલી જોરદાર ટક્કર થઈ હશે તેનો અંદર તસ્વીરો પરથી જ લગાવી શકાય છે. સ્કોર્પીયો અને કારને અકસ્માતમાં ખુબ મોટું નુકસાન થયું હતું ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કારના આગળના ટાયર નીકળી ગયા હતા અને ઈકો કાર જમીન પર પડી હતી. જ્યારે સ્કોર્પીયો કારના બોનેટના ભાગના કૂરચા નીકળી ગયા હતા અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ લોકોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં

Share This Article