જુનાગઢ : રાત્રીના સમયે સિંહ પરિવાર વિચરતો જોવા મળ્યો

admin
1 Min Read

રાત્રીના સમયે માંગરોળ ના શરદાગ્રામ મા સિંહ પરિવાર વિચાર તો જોવા મળ્યો હતો, કોઈ ફોર વિલ ચાલક દ્વારા વીડિયો ઉતારી સોશિયલ મીડિયા મા વાયરલ કરવામાં આવ્યો છે.જુનાગઢ એ એશિએન્ટિક સિંહો નો ગઢ ગણાય છે ત્યારે હવે સિંહો ના આંટા ફેરા ગામડામાં થવા એ સામાન્ય બાબત બની ગઈ છે જુનાગઢ નો માંગરોળ તાલુકા મા દરિયાઈ પટ્ટી જંગલો ધરાવે છે

જે જંગલો મા સિંહો પણ વસવાટ હોય ત્યારે દરિયાઈ પટ્ટી ના આજુ બાજુના ગામોમાં અવાર નવાર સિંહો ના દેખાડા થતા હોય છે , ત્યારે માંગરોળ ના શેરીયાજ અને શાપુર નજીક આવેલા શરદાગ્રામ મા સિંહ પરિવાર રાત્રીના સમયે વિચારતો જોવા મળ્યો હતો બગીચામા વિચારતા સિંહો નો વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા કાર ચાલક દ્વારા કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ,સિંહ પરિવાર નો આ વાયરલ વીડિયો માંગરોળ ના શરદાગ્રામનો હોવાનું અનુમાન છે પણ અમે આ વાયરલ વીડિયોની કોઈ પુષ્ટિ કરતા નથી..

Share This Article