ગુજરાત : આણંદ-તારાપુર હાઇવે પર સર્જાયો ગોજારો અકસ્માત, 10નાં મોત

admin
2 Min Read

રાજ્યમાં છાશવારે અકસ્માતની નાની-મોટી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજરોજ વહેલી સવારે આશરે 6.30 કલાકની આસપાસ આણંદ તારાપુર હાઇવે ઈકો કારમાં સવાર થઈને લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે. ત્યારે આ અકસ્માતને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.મળતી માહિતી મુજબ સુરતથી ભાવનગર જતી ઇકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં કારમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે.

અકસ્માતને પગલે તારાપુર હાઈવે પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. . ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી હતી તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે પુરફાટ ઝડપે આવેલી ઈકો કાર ધડાકા સાથે ટ્રક સાથે અથડાઈ હતી. ઈકોકારમાં મુસાફરી કરી રહેલા તમામ 10 મુસાફરોના મોત થયા હતા. જોકે હાલ આ પરિવાર કોણ છે એની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો અને તમામ મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઈકો કાર સુરતથી ભાવનગર જતી હતી.

Share This Article