બનાસકાંઠાના દીયોદર ખાતે ચિભડાના પશુ ડોક્ટરનો મામલો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે. પશુ ડોક્ટર દ્વારા ખોટા સર્ટીફીકેટ આપીને પશુઓને કતલખાને મોકલવામાં આવતા હોવાના આક્ષેપો થયા બાદ ભારે ખળભળાટ મચ્યો હતો. જે અંગે હવે ડોક્ટરના સમર્થનમાં તેમના સમાજની સાથે અન્ય સમાજના પણ આગેવાનો જોડાયા હતા. માલધારી ઠાકોર તેમજ રાજપુત સમાજે ડોક્ટરને સમર્થન આપ્યુ હતું અને દીયોદરના મીઠા ખાતે સમાજની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ડોક્ટરને ન્યાય અપાવવા માટે અન્ય સમાજના લોકો પણ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં આ મામલે ડોક્ટરને ન્યાય અપાવવા માટે આંદોલન કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત ડોક્ટરે ડીસા પાંજરાપોળના સંચાલકો સામે આક્ષેપો કર્યા હતા. ડોક્ટરનું કહેવુ હતું કે, સંચાલકો દ્વારા તેને વારંવાર પરેશાન કરવામાં આવે છે અને ધમકી આપવામાં આવે છે.
બનાસકાંઠા : દીયોદરના ચિભઢાના પશુ ડોક્ટરનો મામલો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.