બનાસકાંઠા : રાજ શેખાવત વિરુદ્ધ એટ્રોસિટીનો મામલો

admin
1 Min Read

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ તા.31/10/2019ના રોજ રાપર પોલીસ સ્ટેશન (કચ્છ)માં તેમના ભાષણ ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવવામાં હતી. જેને લઈને આજરોજ જિલ્લા કલેક્ટર સાહેબને તેમજ તમામ તાલુકામાં મામલતદાર સાહેબને કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાપર મુકામે જે ફરિયાદ કરવામાં આવી એ ખોટી ફરિયાદ છે જે પરત લેવામાં આવે અથવા સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે નહીંતર આવનારા સમયમાં કરણી સેના દ્વારા ગુજરાતમાં  ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.

 

Share This Article