ચુડા તાલુકાના ખેડૂતોની પાક વીમાની અરજી સ્વીકારવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલ ખેડૂતોએ ચુડા મામલતદાર કચેરી સહીત હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. કમોસમી વરસાદને પગલે થયેલ નુકશાન અંગે પાક વિમાની અરજી સ્વીકારવામાં ન આવતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. આપને સૌ જાણીએ છીએ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ક્યાર અને ત્યારબાદ હાલ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે કમૌસમી વરસાદ પડયો છે ત્યારે આ વરસાદથી જિલ્લા ભરનાં ખેડુતોને મોટાપાયે નુકશાની પહોંચી છે જે અંગે સરકારની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત ખેડુતોએ પાકવિમો લીધો હોવા છતાં નુકશાનીનું વળતર મેળવવા માત્ર બે થી ત્રણ દિવસની જ મુદ્દત આપવામાં આવી છે ત્યારે અનેક ખેડુતોને આ સહાય મેળવવા માટે હાલાકી પડી રહી છે અને સરકાર દ્વારા જાહેર કરેલ ટોલ ફ્રી નંબર પણ બંધ આવતાં અથવા ન લાગતાં સહાયથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેરમાં જિલ્લામાં પડેલ કમૌસમી વરસાદ બાદ સરકાર અને તંત્રએ નુકશાની અંગે કામગીરી હાથધરી હતી. જેમાં વિમાકંપનીએ નુકશાની અંગે પાકવિમાની અરજી કરવા માટે અલગ-અલગ ટોલ ફ્રી નંબરો જાહેર કર્યા હતાં.તે મુજબ બે થી ત્રણ દિવસમાં અરજી કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ જાહેર કરેલ ટોલ ફ્રી નંબરમાં ફોન લાગતો ન હોવાની અથવા તરત જ કટ થઈ જતો હોવાની ખેડુતોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.
ચુડા તાલુકામાં ખેફૂતો દ્વારા ચક્કાજામ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.