ભરુચ- શિરડી દર્શન કરી પરત ફરતા વડોદરાના પરીવારની કારમાં લાગી આગ

Subham Bhatt
1 Min Read

શિરડી દર્શન કરી પરત ફરતા વડોદરાના પરીવારની કારમાં લાગી આગ,કાર બળીને ખાખ થઈ ગઈ હતી. શિરડીથી દર્શન કરીપરત ફરતી વખતે વડોદરાના પરિવારને અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અગમ્ય કારણોસર કારમાં એકાએક આગલાગી હતી. શિરડીથી દર્શન કરી પરત ફરતી વખતે વડોદરાના પરિવારને અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અગમ્ય કારણોસર કારમાં એકાએક આગ લાગી હતી જેથી ઠોકીક જ ક્ષણોમાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.

Bharuch: A fire broke out in the car of a Vadodara family returning from a visit to Shirdi

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર પાસે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ભરૂચના અંકલેશ્વર નજીકના નેશનલ હાઇવે 48 પર એસેન્ટ ગાડીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી . વડોદરાનો એકપરિવાર કારમાં શિરડી ખાતે દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વેળા આ બનાવ બન્યો હતો. કારમાં પરિવાર સવારહતો જેમાં સમય સૂચકતા વાપરતા તેઓ નીચે ઉતરી જતાં કારચાલક સહિત પરિવારનો બચાવ થયો હતો. આગ કારની ઝપેટમાં સંપૂર્ણ આવી જતાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી…

Share This Article