ભરૂચ જિલ્લાનાં આમોદ સરભાણ રોડ પર આજે એટલે બુધવારે વહેલી સવારે કાર પલટી જતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ લોકોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનાનો અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે આમોદ-સરભાણા રોડ રક જઇ રહેલી કારના ચાલકે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવી દેતા કાર પલટી ગઇ હતી. જેનાથી 3 લોકોનાં મોત ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં. ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો એકત્ર થઇ ગયા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ : અમોદ સરભાણ રોડ પર કાર પલટી ખાત સર્જાયો અકસ્માત
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.