ભરૂચ : અમોદ સરભાણ રોડ પર કાર પલટી ખાત સર્જાયો અકસ્માત

admin
1 Min Read

ભરૂચ જિલ્લાનાં આમોદ સરભાણ રોડ પર આજે એટલે બુધવારે વહેલી સવારે કાર પલટી જતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ લોકોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનાનો અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે આમોદ-સરભાણા રોડ રક જઇ રહેલી કારના ચાલકે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવી દેતા કાર પલટી ગઇ હતી. જેનાથી 3 લોકોનાં મોત ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં. ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો એકત્ર થઇ ગયા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article