સાવધાન ! ગધેડાની લાદમાંથી થઈ રહ્યું છે મસાલાનું ઉત્પાદન….

admin
1 Min Read

ઉત્તરપ્રદેશના હાથરસમાં પોલીસે નકલી મસાલા બનાવતી ફેકટરી પકડી પાડી છે. આ ફેક્ટરીમાં ગધેડાની લાદ, એસિડ અને ભૂસામાં રંગ ભેળવીને મસાલો તૈયાર કરવામાં આવતો હતો. નવીપુર વિસ્તારમાં ચાલી રહેલી આ ફેક્ટરીના માલિક અનૂપ વાર્ષ્ણેયની ધરપકડ કરવામાં આવી છે.

અનુપ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2002માં બનાવેલાં સંગઠન હિંદૂ યુવા વાહિની મંડળના સહપ્રભારી છે. આ મામલે વહિવટી તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, જે લોકેશન પર અનૂપ ફેકટરી ચલાવી રહ્યો હતો તેની મંજૂરી લીધી નહતી અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહતું. અનૂપે લાયસન્સ લેવાની કોશિશ કરી હતી પરંતુ સરકારે શરતો પૂર્ણ ન કરવાને પગલે લાયસન્સ ઈશ્યૂ કર્યું નહતું.

આ અંગે જોઈન્ટ મેજીસ્ટ્રેટ પ્રેમ પ્રકાશ મીનાએ કહ્યું કે ફેક્ટરીથી 300 કિલો નકલી મસાલો જપ્ત કરવામાં આવ્યો છે. આ મસાલાના પેકેટ્સ પર લોકલ બ્રાન્ડનું નામ લખેલું હતું. તપાસ ટીમના દરોડા દરમિયાન કેટલોક એવો સામાન મળ્યો છે જેનાથી મસાલો તૈયાર કરવામાં આવતો હતો. મસાલામાં ગધેડાની લાદ, એસિડ અને ભૂસા તથા હાનિકારક રંગોનો ઉપયોગ કરવામાં હતો. ઘટના સ્થળથી કેટલાક ડ્રમ એસિડથી ભરેલાં મળી આવ્યા છે.

Share This Article